દિલજીત દોસાંઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરશે
દિલજીત દોસાંઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરશે
Published on: 14th September, 2026

પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઇવ કોન્સર્ટ કરવાના છે. આ અંગેની જાહેરાત તેમણે લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમમાં તેમની ‘ઓરા વર્લ્ડ ટૂર’ દરમિયાન કરી. દિલજીત વેમ્બલી સ્ટેડિયમમાં મુખ્ય કલાકાર તરીકે પરફોર્મ કરનાર પ્રથમ પંજાબી કલાકાર બન્યા છે, જ્યાં 90,000 થી વધુ દર્શકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ શૉની જાહેરાત કરતી વખતે, દિલજીતે કોલ્ડપ્લેનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે ભારતના આ વિશાળ સ્ટેડિયમમાં પંજાબી કલાકારોની પહોંચ સુનિશ્ચિત કરવી જરૂરી છે.