કચ્છમાં EV ચાર્જિંગ સ્ટેશનો બંધ!
કચ્છમાં EV ચાર્જિંગ સ્ટેશનો બંધ!
Published on: 09th August, 2026

દેશભરમાં પ્રદૂષણ ઘટાડવા અને EV વાહનોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં EV કાર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામખિયાળીથી રાધનપુર વચ્ચેના લગભગ 150 કિલોમીટરના રૂટ પર એક પણ EV ચાર્જિંગ સ્ટેશન કાર્યરત નથી. ગૂગલ મેપ પર દેખાતા મોટાભાગના સ્ટેશનો બંધ અથવા ધૂળ ખાઈ રહ્યા છે. EV કારની બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જાય તો વાહન સંપૂર્ણપણે લોક થઈ જાય છે, જેના કારણે ટોઈંગ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. લાંબી મુસાફરી કરતી વખતે આ સ્થિતિ વાહનચાલકો અને તેમના પરિવારો માટે ભારે અસુવિધાજનક બની રહી છે.