જન્માષ્ટમી લોકમેળા-2026: સ્ટોલ માટે 10% વધુ અપસેટ પ્રાઈઝ
જન્માષ્ટમી લોકમેળા-2026: સ્ટોલ માટે 10% વધુ અપસેટ પ્રાઈઝ
Published on: 04th August, 2026

પોરબંદર મનપા શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા-2026નું આયોજન કરી રહી છે. મેળામાં સુરક્ષા, સુવિધા અને કાયદા-વ્યવસ્થા જાળવવા મેયર સાગર મોદી તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ વખતે મેળામાં સ્ટોલ લગાવવા માટે ગત વર્ષ કરતાં 10% વધુ અપસેટ પ્રાઈઝ રહેશે. રાઈડ્સની ટિકિટના ભાવ ફિક્સ રહેશે અને જૂની ટિકિટ માન્ય નહીં ગણાય. ખાણીપીણીના મેનૂના ભાવ મંજૂર કરાવવા પડશે તથા MRP થી વધુ ભાવ લેનાર સામે કડક કાર્યવાહી થશે.