નડિયાદ લેન્ડ ગ્રેબિંગ કેસ: પૂર્વ કાઉન્સિલર અને પુત્રના જામીન નામંજૂર
નડિયાદ લેન્ડ ગ્રેબિંગ કેસ: પૂર્વ કાઉન્સિલર અને પુત્રના જામીન નામંજૂર
Published on: 04th August, 2026

નડિયાદના બિલોદરામાં જમીન પચાવી પાડવાના ગંભીર આરોપો હેઠળ નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગ કેસમાં, પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને તેમના પુત્ર નવઘણ ભરવાડની આગોતરા જામીન અરજી નડિયાદ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, ગુનાની ગંભીરતા અને તપાસમાં સહકાર ન આપવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને, અદાલતે જામીન આપવાનો ઇનકાર કર્યો. સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલા પુરાવા અને દલીલોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં બંને વિરુદ્ધ અગાઉ પણ 12 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.