અંકલેશ્વર-પીરામણ રોડ પર વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ
અંકલેશ્વર-પીરામણ રોડ પર વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ
Published on: 04th August, 2026

અંકલેશ્વર: રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર-પીરામણ રોડ પર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે. શ્યામનગર અને હેપ્પીનગર વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાથી સ્થાનિકો અને રાહદારીઓને તકલીફ પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, માર્ગ અને મકાન વિભાગે રોડને RCC બનાવીને બંને બાજુ વરસાદી ગટરો બનાવી છે. આનાથી પાણીનો ઝડપી નિકાલ થાય છે અને ભારે વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાતું નથી.