નર્મદા જિલ્લામાં નદી, ડેમ, ધોધ સહિત ભયજનક સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ
નર્મદા જિલ્લામાં નદી, ડેમ, ધોધ સહિત ભયજનક સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ
Published on: 04th August, 2026

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા નર્મદા જિલ્લામાં આવેલ ભયજનક સ્થળોએ જળાશયોમાં નહાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફ્રમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા અને દેડિયાપાડા તાલુકાના વિવિધ નદી કિનારા, ડેમ, ધોધ અને અન્ય સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ મનાઈ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ 27/09/2026 સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.