શુક્લતીર્થમાં JCB બકેટથી યુવકની હત્યા, અકસ્માત કે કાવતરું?
શુક્લતીર્થમાં JCB બકેટથી યુવકની હત્યા, અકસ્માત કે કાવતરું?
Published on: 18th May, 2026

ભરૂચ નજીક શુક્લતીર્થ ગામમાં નદી વિસ્તારમાં JCBના બકેટથી ગળું દબાવી એક યુવકની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતદેહ મળતાં લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગળા પાસે JCBનું બકેટ મળતાં આ બનાવ અકસ્માત છે કે ઇરાદાપૂર્વકની હત્યા તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, યુવકની ઓળખ અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.