૧૬ વર્ષના કિશોરે પુસ્તકની આવકમાંથી સરહદી શાળાને ૭૦૦ શૈક્ષણિક કિટ અને ૮ કોમ્પ્યુટર આપ્યા
૧૬ વર્ષના કિશોરે પુસ્તકની આવકમાંથી સરહદી શાળાને ૭૦૦ શૈક્ષણિક કિટ અને ૮ કોમ્પ્યુટર આપ્યા
Published on: 01st August, 2026

અમદાવાદના ૧૬ વર્ષીય કિશોર મિથિલેશભાઈ ખાંડવાલાએ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત પોતાના પુસ્તક 'બંસી' ના વેચાણમાંથી થયેલી આવકનો ઉપયોગ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી ગામોની શાળાઓના વિકાસ માટે કર્યો છે. તેમણે મિથિલેશ ફાઉન્ડેશન અને સીમા જાગરણ મંચ દ્વારા ૭૦૦થી વધુ બાળકોને શૈક્ષણિક કિટ્સનું વિતરણ કર્યું અને શાળાઓને સુસજ્જ બનાવવા ૮ કોમ્પ્યુટર સેટ પણ અર્પણ કર્યા. આ પ્રેરણાદાયી કાર્ય બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.