પાલનપુરમાં ઐતિહાસિક રામજી મંદિરના કાટમાળમાંથી મળી આવ્યા ચાંદીના સિક્કા
પાલનપુરમાં ઐતિહાસિક રામજી મંદિરના કાટમાળમાંથી મળી આવ્યા ચાંદીના સિક્કા
Published on: 01st August, 2026

પાલનપુરમાં ઐતિહાસિક રામજી મંદિરના જીણોદ્ધાર દરમિયાન, તેનો કાટમાળ માનસરોવર તળાવ પાસે ફેંકવામાં આવ્યો હતો. ત્યાંથી કેટલાક લોકોને અરબી લિપિમાં લખેલા ચાંદીના સિક્કા મળ્યા છે. આ સમાચાર મળતા જ લોકોના ટોળાં ત્યાં ઉમટી પડ્યા હતા અને મલબામાંથી સિક્કા શોધવાની શરૂઆત કરી હતી. જાણકારોના મતે, આ સિક્કા દિવાલોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હોઈ શકે છે, જેના પર તારીખ અને બનાવનારની છબી હોવાનું માનવામાં આવે છે. પુરાતત્વ વિભાગ આ મામલે વધુ તપાસ કરે તેવી શક્યતા છે.