ભાવનગરમાં ૫૩૦૦ વાહનધારકો પર ૮૫ કરોડ વેરા બાકી
ભાવનગરમાં ૫૩૦૦ વાહનધારકો પર ૮૫ કરોડ વેરા બાકી
Published on: 01st August, 2026

ભાવનગર RTO કચેરી ૮૫ કરોડ રૂપિયા વાહન કર પેટે બાકી ધરાવતા ૫૩૦૦ વાહનધારકો સામે કડક બની છે. સાત દિવસમાં બાકી વેરો, દંડ અને વ્યાજ ભરપાઈ નહીં કરનાર વાહનધારકોની સ્થાવર અને જંગમ મિલકત પર બોજો નાખવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ૫૦૦ થી વધુ બાકીદારોને મહેસુલી નોટિસ પાઠવાઈ છે. અગાઉ ૫૧૦૦ વાહનોને Blacklist કરાયા છે, જેના કારણે તેમની તમામ Online Services સ્થગિત થઈ ગઈ છે. સરકારના બાકી લેણાંની વસૂલાત માટે આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.