ગીરમાં વૃક્ષો વધ્યા, સિંહો વિસ્તારો છોડી બહાર નીકળ્યા: પૂર્વ વન અધિકારીએ જણાવ્યું કારણ
ગીરમાં વૃક્ષો વધ્યા, સિંહો વિસ્તારો છોડી બહાર નીકળ્યા: પૂર્વ વન અધિકારીએ જણાવ્યું કારણ
Published on: 01st August, 2026

ગીરના જંગલમાં વૃક્ષોની ઘનતા વધવાને કારણે સિંહોને શિકાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આઈ કોન્ટેક્ટ અને દોડવાની જગ્યા ઘટવાથી તેમનો શિકાર સરળતાથી છટકી જાય છે. વધતી વસ્તી અને સંકુચિત થતા જંગલ વિસ્તારને કારણે સિંહો હવે તેમના પરંપરાગત વિસ્તારો છોડી માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. પૂર્વ વન સંરક્ષક ઉદય વોરાએ જણાવ્યું કે, ગામડાં મોટા થવાથી અને કોરિડોર નાશ પામવાથી સિંહો માટે સમસ્યા સર્જાઈ છે.