તળાજા શહેરમાં મધરાત્રિએ રોઝ આવી ચડતાં ગૌવંશ અને શ્વાનોમાં ભય
તળાજા શહેરમાં મધરાત્રિએ રોઝ આવી ચડતાં ગૌવંશ અને શ્વાનોમાં ભય
Published on: 01st August, 2026

તળાજા શહેરની મધ્યમાં મોડી રાત્રે એક રોઝ (નીલગાય) આવી પહોંચતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાકમાર્કેટ, વાવચોક સહિતના વિસ્તારોમાં દોડાદોડી કરતાં ગૌવંશ અને શ્વાનો પણ ભયભીત થઈ ગયા હતા. કેટલાક સ્થાનિકોએ તેને શહેરની બહાર ભગાડવા માટે બાઈકોનો ઉપયોગ કર્યો હતો. ભૂલું પડેલું રોઝ શહેરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જેના કારણે શહેરમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.