રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ
રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ
Published on: 02nd September, 2026

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરાસતથી વિકાસ લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થયું. જોકે, પ્રથમ દિવસે જ સુરક્ષા માપદંડોના કડક અમલને કારણે 34 મોટી યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે. જરૂરી મંજૂરી વિના એક પણ રાઇડ શરૂ કરવાની મનાઈ છે. 13 સભ્યોની કમિટી દ્વારા રાઇડ્સની ફિટનેસ ચકાસણી ચાલી રહી છે.