ગુજરાતના 10 પવિત્ર ધામોનું થશે ભવ્ય પરિવર્તન
ગુજરાતના 10 પવિત્ર ધામોનું થશે ભવ્ય પરિવર્તન
Published on: 02nd September, 2026

ગુજરાત સરકાર રાજ્યના 10 મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ સ્થળોના સર્વાંગી વિકાસ, યાત્રાળુ સુવિધાઓના નવીનીકરણ અને આધુનિક સુવિધાઓના નિર્માણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કાર્યોથી રૂપાલ, ગોંડલ, ભાદરવા, અંજાર, ઉમરેચા, ધરમપુર, વાંસદા, કેસરડી, તરભ અને ગ્રેટર ગીર જેવા વિસ્તારોના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોનો કાયાકલ્પ થશે, જેનાથી લાખો શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ પ્રાપ્ત થશે અને રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.