ગુજરાતમાં પાણીજન્ય રોગોના હજારો કેસ, આરોગ્ય તંત્ર અને પાણી પરીક્ષણમાં નિષ્ક્રિયતા
ગુજરાતમાં પાણીજન્ય રોગોના હજારો કેસ, આરોગ્ય તંત્ર અને પાણી પરીક્ષણમાં નિષ્ક્રિયતા
Published on: 04th August, 2026

ગુજરાતમાં પાણીજન્ય બીમારીના 3.28 લાખથી વધુ કેસ નોંધાયા છે, તેમ છતાં પાણી પરીક્ષણમાં રાજ્ય પાછળ છે. છેલ્લા એક વર્ષમાં માત્ર 1.21 લાખ પાણીના સેમ્પલ લેવાયા છે, જ્યારે તામિલનાડુ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો ગુજરાત કરતાં ઘણા આગળ છે. અનેક અંતરિયાળ વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. નિષ્ણાતોના મતે, રોગચાળો ફાટી નીકળ્યા પછી જ તંત્ર સક્રિય થાય તે પૂરતું નથી, નિયમિત પાણી પરીક્ષણ અને સમસ્યાઓના નિવારણ માટે સતત પ્રયાસો જરૂરી છે.