જન્માષ્ટમી ૨૦૨૬: શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ
જન્માષ્ટમી ૨૦૨૬: શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ
Published on: 02nd September, 2026

વર્ષ ૨૦૨૬ માં જન્માષ્ટમી ૪ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ઉજવાશે. આ પર્વે દ્વાપર યુગ જેવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્રમાનો યોગ રહેશે, જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે પણ હતો. આ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થઈ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂજાનું શુભ મુહૂર્ત ૪ સપ્ટેમ્બરની રાત્રે ૧૧:૫૭ થી ૫ સપ્ટેમ્બરની રાત્રે ૧૨:૪૩ સુધી રહેશે.