અમરેલીના જીરા રેલવે સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
અમરેલીના જીરા રેલવે સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
Published on: 13th July, 2026

અમરેલીના જીરા રેલ્વે સ્ટેશન પર લાખો રૂપિયાના ખર્ચે થયેલ પ્લેટફોર્મ રિનોવેશનમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે આવી છે. થોડા મહિના પહેલા થયેલ સમારકામ એટલું નબળું છે કે માત્ર લાત મારતા જ પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. પૂર્વ મહામંત્રીની રજૂઆત બાદ સાંસદ ભરત સુતરીયાએ સ્થળ તપાસ કરી, જ્યાં કામગીરીની પોલ ખુલી ગઈ. સાંસદે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને નવેસરથી કામ કરાવવાની સૂચના આપી છે. આશરે 6 કરોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગત અંગે સવાલો ઉઠી રહ્યા છે.