સુરતની મહિલા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પ્રસાદીની અનોખી સેવા
સુરતની મહિલા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પ્રસાદીની અનોખી સેવા
Published on: 13th July, 2026

સુરતમાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા પહેલા, લંકા વિજય ઓવારા ખાતે મહિલા ભક્તોએ પ્રસાદની જવાબદારી સંભાળી છે. તેઓ એક હજાર કિલોથી વધુ મગ અને શીરો તેમજ અન્ય પ્રસાદની તૈયારી ભક્તિભાવપૂર્વક કરી રહ્યા છે. આ સેવા યજ્ઞમાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો મગની સફાઈ, સામગ્રીની તૈયારી અને રસોઈમાં નિષ્ઠાપૂર્વક જોડાઈને તેને ભગવાનની સેવા માની રહ્યા છે. આ પ્રસાદ ભક્તોને ભગવાનના આશીર્વાદ અને કૃપાનું સ્વરૂપ માનવામાં આવે છે.