ગિરનાર પર સિંહના હુમલા બાદ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારના મોટા નિર્ણયો
ગિરનાર પર સિંહના હુમલા બાદ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારના મોટા નિર્ણયો
Published on: 13th July, 2026

જૂનાગઢ ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી પર સિંહના હુમલામાં 11 વર્ષના બાળકના મોત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ભવિષ્યમાં આવી દુઃખદ ઘટના ન બને તે માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ માટે ઘણા મોટા અને કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈને વન મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકાર દ્વારા યાત્રાળુઓ માટે જનજાગૃતિ અભિયાન સહિત અનેક કડક પગલાંઓની જાહેરાત કરવામાં આવી છે.