વીમા કંપનીનો દાવો કોર્ટે ફગાવ્યો, ₹4 લાખ ચૂકવવાનો હુકમ
વીમા કંપનીનો દાવો કોર્ટે ફગાવ્યો, ₹4 લાખ ચૂકવવાનો હુકમ
Published on: 13th July, 2026

બોટાદના ખેડૂતના વીમા દાવાને વીમા કંપનીએ પોલિસીમાં ન હોય તેવી કલમ દર્શાવી ફગાવી દીધો હતો. રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે વીમા કંપનીની આ અપીલ ફગાવી દીધી અને કહ્યું કે નક્કર પુરાવા વિના દાવો નકારી શકાય નહીં. પોલિસીમાં ન હોય તેવી કલમનો આધાર લઈ દાવો નકારવો એ સેવામાં ખામી ગણાય. આયોગે ખેડૂતના વારસદારોને ₹4 લાખ વ્યાજ સાથે ચૂકવવાનો અને વધારાના ₹10,000 કાનૂની ખર્ચ પેટે આપવાનો આદેશ કર્યો.