વડોદરામાં માંડવી બાદ લહેરીપુરા દરવાજાની દુર્દશા
વડોદરામાં માંડવી બાદ લહેરીપુરા દરવાજાની દુર્દશા
Published on: 13th July, 2026

વડોદરા શહેરના ઐતિહાસિક વારસા સમા લહેરીપુરા દરવાજાની જાળવણીમાં બેદરકારી સામે આવી છે. દરવાજાની દિવાલો અને ઉપરના ભાગમાં વૃક્ષો તથા વનસ્પતિ ઊગી નીકળતાં સ્મારકના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. સમયસર સફાઈ અને જાળવણી નહીં થાય તો વૃક્ષોના મૂળના કારણે ઐતિહાસિક માળખામાં તિરાડો પડી શકે છે અને પથ્થરો ઢીલા પડી સ્મારકને નુકસાન પહોંચી શકે છે. સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા તંત્રનું ધ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.