રાજકોટમાં શ્વાનોનો આતંક: ૧.૨ કરોડ ખર્ચ છતાં સમસ્યા યથાવત.
રાજકોટમાં શ્વાનોનો આતંક: ૧.૨ કરોડ ખર્ચ છતાં સમસ્યા યથાવત.
Published on: 21st May, 2026

રાજકોટમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને કરડવાના બનાવો વધી રહ્યા છે. કૂતરાઓના વસ્તી નિયંત્રણ, ખસીકરણ (Sterilization) અને રસીકરણ પાછળ મહાનગરપાલિકા (RMC) એ રૂપિયા ૧.૨ કરોડ ખર્ચ્યા છે, છતાં સમસ્યા યથાવત છે. છેલ્લા એક વર્ષમાં ૬૦૧ ફરિયાદો નોંધાઈ છે. કૂતરા પકડવાની કામગીરી મહિનાઓથી ઠપ્પ હોવાથી લોકોમાં આક્રોશ છે.