કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કામગીરી અંતર્ગત રાત્રિ દરમિયાન બંધ રહેશે.
કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કામગીરી અંતર્ગત રાત્રિ દરમિયાન બંધ રહેશે.
Published on: 21st May, 2026

અમદાવાદ શહેરમાં વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ એટલે કે શ્રી મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર આગામી તારીખ 22/05/2026થી તારીખ 25/05/2026 સુધી રાત્રિના સમયે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને નાગરિકોને રાત્રિ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.