ભરૂચમાં વિશ્વ હેપેટાઈટિસ જાગૃતિ કેમ્પ યોજાયો
ભરૂચમાં વિશ્વ હેપેટાઈટિસ જાગૃતિ કેમ્પ યોજાયો
Published on: 09th August, 2026

ભરૂચ ખાતે શ્રી નવજીવન ગ્રામ વિકાસ કેન્દ્ર જોલવા દ્વારા દહેજ પીએચસી ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસ નિમિત્તે એક જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં હેપેટાઈટિસ-બી, હેપેટાઈટિસ-સી, એચ.આઈ.વી./એઈડ્સ અને ટીબી જેવા રોગો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમમાં કુલ 45 માઈગ્રન્ટ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમને રોગોના લક્ષણો, બચાવના ઉપાયો અને રસીકરણના મહત્વ વિશે ડો. મૃદુલ પટેલે વિસ્તૃત માહિતી આપી.