ઓગસ્ટમાં 115 ઘાયલ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર પહોંચ્યા
ઓગસ્ટમાં 115 ઘાયલ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર પહોંચ્યા
Published on: 10th September, 2026

પોરબંદર જિલ્લામાં ઓગસ્ટ માસમાં 115 ઘાયલ પશુ-પક્ષી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યા હતા. આમાં સાપ, અજગર, મગર, બગલો, મોર, ઢેલ, તેતર અને કાચબા જેવી વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર, ખોરાક અને દેખરેખ પૂરી પાડવામાં આવી હતી. દુર્ભાગ્યે, 115 માંથી 30 પશુ-પક્ષીઓના મોત થયા, જ્યારે અન્યને સ્વસ્થ થયા બાદ મુક્ત કરાયા અથવા વધુ સારવાર માટે દાખલ કરાયા.