બાળકોના વધુ પ્રશ્નો: ચિંતા નહીં, ગૌરવનો વિષય
બાળકોના વધુ પ્રશ્નો: ચિંતા નહીં, ગૌરવનો વિષય
Published on: 11th August, 2026

કેટલાક બાળકો સતત પ્રશ્નો પૂછીને માતાપિતા અને શિક્ષકોને કંટાળો અપાવે છે. આવા બાળકો પોતાની અલગ પ્રવૃત્તિઓ દ્વારા સૌને આશ્ચર્યચકિત કરે છે. જો તમારું બાળક અન્ય બાળકો કરતાં નોખું તરી આવે, અતિ ઉત્સુકતા દર્શાવે અને બુધ્ધિશાળી લાગે, તો તે ચિંતાનો નહીં, પરંતુ ગૌરવનો વિષય છે. મનોચિકિત્સકો માને છે કે આવા બાળકોની તેજસ્વીતા પ્રશંસનીય છે. જાપાની અભિનેત્રી અને લેખિકા તેત્સુકો કુરોયાનાગી (તોતો ચાન)નું ઉદાહરણ દર્શાવે છે કે આવા બાળકોને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ સફળતાના શિખરો સર કરી શકે છે.