આરોગ્ય તંત્ર સક્રિય: મરી-મસાલાની 13 દુકાનો પર દરોડા, 17 નમૂના લેવાયા.
આરોગ્ય તંત્ર સક્રિય: મરી-મસાલાની 13 દુકાનો પર દરોડા, 17 નમૂના લેવાયા.
Published on: 09th May, 2026

ઉનાળામાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સક્રિય થયું. શહેરના વિવિધ વિસ્તારોમાં મરી-મસાલાના 13 વેચાણ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ. શંકાસ્પદ 17 નમૂના લેવાયા, જે કેન્સર તથા પથરી કરતા પદાર્થોની ભેળસેળ ધરાવી શકે છે. તમામ નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ 4 દિવસમાં આવશે. રિપોર્ટના આધારે Food Safety and Standard Act હેઠળ કડક કાર્યવાહી કરાશે.