મેંદી રંગ લાગ્યો: જળ જમુનાજીનાં ઝીલવા ગયેલાં ગોપીના મોતીની શોધ
મેંદી રંગ લાગ્યો: જળ જમુનાજીનાં ઝીલવા ગયેલાં ગોપીના મોતીની શોધ
Published on: 29th August, 2026

'જળ જમુનાજીનાં ઝીલવાને ગ્યાં'તાં...' લોકગીત પ્રથમ શ્રવણે સમજવું અઘરું લાગે છે. ગોપીઓ જળ ભરવા યમુના કિનારે જાય છે, ત્યારે એક ગોપીનો કિંમતી હાર તૂટી જાય છે અને તેનું મોતી ખોવાઈ જાય છે. ખૂબ શોધવા છતાં મોતી ન મળતાં, તે કપટી કાનુડાને મોતી શોધી આપવા વિનવે છે. આ ગીતમાં ગોપીની કૃષ્ણને મળવાની ઉત્કટ આશા, નિરાશા અને ગુસ્સો વ્યક્ત થાય છે. લોકગીત હોવા છતાં તેમાં ભજન જેવી ગહનતા રહેલી છે.