પર્યાવરણ અને રાષ્ટ્રનાયકને જોડતો શિવાજી મહારાજ સ્વરૂપની અનોખી વિનાયક પ્રતિમા
પર્યાવરણ અને રાષ્ટ્રનાયકને જોડતો શિવાજી મહારાજ સ્વરૂપની અનોખી વિનાયક પ્રતિમા
Published on: 16th September, 2026

પોરબંદરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં રિધ્ધિ સિધ્ધિ વિનાયક મિત્રમંડળે પર્યાવરણને ધ્યાનમાં રાખી છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં 15 ફૂટ લાંબી ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવી છે. 15 સભ્યોએ 3 મહિનાની મહેનતે પુઠા, ફોમ, પ્લાય અને કાપડ જેવી સામગ્રીથી આ પ્રતિમા તૈયાર કરી છે, જે પાણીમાં ઓગળી જાય તેવી છે. આ પ્રતિમા ભક્તિ સાથે શિવાજી મહારાજના શૌર્ય, સાહસ અને સ્વરાજ્યના વિચારોની ઝલક આપે છે. આ અનોખા સ્વરૂપને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે.