શ્રાવણ માસમાં AMTSની ખાસ બસ સેવા
શ્રાવણ માસમાં AMTSની ખાસ બસ સેવા
Published on: 12th August, 2026

શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદમાં AMTS દ્વારા શિવભક્તો માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ 100થી વધુ નોન-એસી બસો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કુલ 30 ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે. યાત્રાળુઓને ઘરેથી લઈ જઈને દર્શન બાદ ફરી ઘરે પહોંચાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં રહેતા નાગરિકો માટે ₹3,000 અને ઔડા હદમાં રહેતા નાગરિકો માટે ₹5,000 ચાર્જ રહેશે. બુકિંગ લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર ટર્મિનસ પરથી થશે.