શ્રાવણ માસમાં સોમનાથ ધામમાં રેકોર્ડબ્રેક 22 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
શ્રાવણ માસમાં સોમનાથ ધામમાં રેકોર્ડબ્રેક 22 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
Published on: 13th September, 2026

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના ધામમાં ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો. આ વર્ષે 22 લાખથી વધુ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી. ગત વર્ષની સરખામણીએ ભક્તોની સંખ્યામાં 6.44 લાખથી વધુનો વધારો નોંધાયો છે. શ્રાવણના સોમવાર, જન્માષ્ટમી અને જાહેર રજાઓના દિવસોમાં ભક્તોનો ભારે જમાવડો રહ્યો. સોમેશ્વર પૂજા અને ધ્વજા પૂજામાં પણ નોંધપાત્ર વધારો થયો. આ આંકડા માત્ર સંખ્યાનો વધારો નથી, પરંતુ સોમનાથ મહાદેવ પ્રત્યેની અડગ આસ્થાનું પ્રતિબિંબ છે.