ભારતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢવાળા ગણપતિ બિરાજમાન
ભારતનું એકમાત્ર મંદિર જ્યાં જમણી સૂંઢવાળા ગણપતિ બિરાજમાન
Published on: 13th September, 2026

ગણેશોત્સવ દરમિયાન, અમદાવાદ નજીક ગણપતિપુરાના પવિત્ર મંદિરમાં ભક્તો બાપ્પાની આરાધના કરી રહ્યા છે. ધોળકા તાલુકાના આ સુપ્રસિદ્ધ મંદિરમાં બિરાજમાન ગણપતિની મૂર્તિ અનોખી છે, જેમાં એક દંતી સ્વરૂપની સૂંઢ જમણી બાજુએ વળેલી છે. આ દુર્લભ મૂર્તિ આસ્થાનું કેન્દ્ર છે. ગણેશ ચતુર્થીએ હજારો કિલો લાડુનો પ્રસાદ ધરાવાય છે અને મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે લાંબા સમય સુધી ખુલ્લા રહે છે. મંદિર પરિસરમાં વિશાળ ભોજનાલય અને પાર્કિંગની સુવિધા છે.