સાબરકાંઠાના હિંમતનગરમાં બકરી ઈદની ઉજવણી
સાબરકાંઠાના હિંમતનગરમાં બકરી ઈદની ઉજવણી
Published on: 29th May, 2026

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુરૂવારે પવિત્ર બકરી ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા 26 જેટલા સ્થળો પર શાંતિપૂર્ણ માહોલમાં નમાજ અદા કરવામાં આવી હતી. હિંમતનગરની મસ્જિદો અને ઈદગાહ ખાતે પણ ભક્તિભાવપૂર્વક ઈદની ઉજવણી થઈ હતી. આ તહેવારને કારણે અનેક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. સવારે 6:45 થી 7:30 દરમિયાન અલગ અલગ સમયે નમાજ પઢવામાં આવી હતી, જેમાં ખેડ તસિયા રોડ પર આવેલી ઈદગાહ મુખ્ય હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.