પર્યુષણ: આત્માને પરમાત્મા તરફ લઈ જવાનો અવસર
પર્યુષણ: આત્માને પરમાત્મા તરફ લઈ જવાનો અવસર
Published on: 09th September, 2026

આત્મશુદ્ધિ અને ક્ષમાપનાના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પધરામણી સાથે શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છવાયો છે. પૂજ્ય મુનિરાજ નયશેખર મહારાજે જણાવ્યું કે, પર્યુષણ માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્માને પરમાત્મા તરફ લઈ જવાનો અને પુણ્યનું પોષણ કરવાનો પાવન અવસર છે. તેમણે પર્યુષણના પ્રથમ દિવસે આચરવાના પાંચ મુખ્ય કર્તવ્યો પર પ્રકાશ પાડ્યો, જેમાં અહિંસા (અમારિ પ્રવર્તન), સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટીનો સમાવેશ થાય છે.