વલસાડમાં ઔરંગા નદીના પ્રચંડ પૂરથી રેલવેની AC કોચની ચાદરો, બ્લેન્કેટને ભારે નુકસાન
વલસાડમાં ઔરંગા નદીના પ્રચંડ પૂરથી રેલવેની AC કોચની ચાદરો, બ્લેન્કેટને ભારે નુકસાન
Published on: 01st August, 2026

વલસાડ જિલ્લામાં 23 જુલાઈએ ઔરંગા નદીના ભયાનક પૂરથી ભારે તારાજી સર્જાઈ છે. વલસાડ ખાતે ભારતીય રેલવે સંકલિત લોન્ડ્રી યુનિટની ફેકટરીમાં પૂરના પાણી ઘુસી જતાં ચાદરો, બ્લેન્કેટ, તકિયા અને ટુવાલ મળી અંદાજે 1.20 કરોડથી વધુનું નુકસાન થયું છે. કૈલાસ રોડ સ્થિત શેઠિયા નગર વિસ્તારમાં આવેલી આ લોન્ડ્રી ફેક્ટરીમાં 23 ગેસ સિલિન્ડર, જનરેટર અને ઇલેક્ટ્રિક મોટરોને પણ ભારે નુકસાન થયું છે. રેલવેની માલિકીની આ સામગ્રી પૂરમાં વેરવિખેર થઈ ગઈ છે. અસરગ્રસ્ત સંચાલકો સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.