નર્મદા ડેમ 95% થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર
નર્મદા ડેમ 95% થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર
Published on: 16th September, 2026

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જ્યારે હાલની જળ સપાટી 137.48 મીટર છે. હાલમાં 5,379.80 MCM જીવંત જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. ઉપરવાસમાંથી 54,952 ક્યુસેક પાણીની આવક સાથે, રિવર બેડ પાવરહાઉસ દ્વારા 40,947 ક્યુસેક અને મુખ્ય કેનાલ દ્વારા 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી જળ વિદ્યુત ઉત્પાદન પણ થઈ રહ્યું છે.