પશુદીઠ પાંચ કિલોની મર્યાદામાં રૂ.2ના ભાવે ઘાસચારાનું વિતરણ
પશુદીઠ પાંચ કિલોની મર્યાદામાં રૂ.2ના ભાવે ઘાસચારાનું વિતરણ
Published on: 10th September, 2026

જામનગર જિલ્લામાં ૨૮% વરસાદ નોંધાતા પશુપાલકો માટે ઘાસચારાની તંગી સર્જાઈ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા, સરકારી સૂચના મુજબ ૭ ઘાસ ડેપો કાર્યરત કરાયા છે. પશુપાલકોને પશુદીઠ વધુમાં વધુ ૫ કિલો ઘાસના કાર્ડ બનાવી, રાહતદરે રૂ.૨ પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૧.૨૯ લાખ કિલો ઘાસનું વિતરણ થયું છે અને ૬૪.૦૮ લાખ કિલો જથ્થો ઉપલબ્ધ છે. જરૂરિયાત મુજબ ઘાસ ડેપોની સંખ્યા વધારવાની પણ તૈયારી છે.