અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરી કરતી ગેંગના 3 સભ્યોને 2 ચોરાયેલી લોડિંગ રિક્ષા સાથે ઝડપી પાડ્યા છે. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાંથી ચોરાયેલી રિક્ષાઓ અંગે ફરિયાદો મળ્યા બાદ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મોહંમદ શાહરુખ કુરેશી, ગુલફામ ઉર્ફે ડી.જે. કુરેશી અને મોહંમદ શકીલ અંન્સારી નામના આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 2,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગના 3 સાગરીતો 2 લોડિંગ રિક્ષા સાથે ઝડપાયા
શિક્ષક દ્વારા 1000 ગણપતિ ચિત્રોથી મહાવિનાયકની અદ્ભુત કલાકૃતિનું સર્જન
સુરેન્દ્રનગરના પાટડીના શિક્ષક ભગવતભાઈ રથવીએ ગણેશ ચતુર્થીના શુભ અવસરે શ્રીજી પ્રત્યેની અનોખી શ્રદ્ધા વ્યક્ત કરી છે. તેમણે લગ્નની કંકોતરીઓમાંથી એકઠા કરેલા 1000 અલગ-અલગ મુદ્રાના ગણપતિના ફોટાનો ઉપયોગ કરીને 6x4 ફૂટના હાર્ડબોર્ડ પર એક વિશાળ મહાવિનાયકની કલાકૃતિ તૈયાર કરી છે. આ પ્રોજેક્ટમાં 5 પૈસાના સિક્કા, અરીસા, ટીકા અને નાડાછડી જેવી સામગ્રીનો પણ ઉપયોગ કરાયો છે. 35 વર્ષ જૂના કલાત્મક સંભારણાને તેમણે 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવી સુંદર ઓપ આપ્યો છે.
શિક્ષક દ્વારા 1000 ગણપતિ ચિત્રોથી મહાવિનાયકની અદ્ભુત કલાકૃતિનું સર્જન
તરણેતરના મેળાનો ભવ્ય શુભારંભ
સુરેન્દ્રનગરના થાન ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો 14 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ સાથે યોજાતા આ મેળામાં લોકસંગીત, રાસ-ગરબા અને લોકસંસ્કૃતિની સાથે 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું છે. 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત રમતો અને એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાશે. લાખો લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડવાની અપેક્ષા છે. આ મેળો ઝાલાવાડની લોકપરંપરા, લોકકલા અને ગ્રામ્ય જીવનશૈલીની આગવી ઓળખ ધરાવે છે, જે સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે.
તરણેતરના મેળાનો ભવ્ય શુભારંભ
ઈડર ટાઉનહોલમાં સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન
ઈડરના ટાઉનહોલમાં શનિવારે સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન મોદીના જન્મદિવસથી 17 ઓક્ટોબર સુધી 25 વર્ષના સેવા સંકલ્પના ભાગરૂપે વિવિધ સેવાકીય અને જનજાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવાનો છે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી ડૉ. સંજય દેસાઈ સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ અભિયાન હેઠળ 13 વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં બાઈક રેલી, ચિત્ર સ્પર્ધા, અને નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નાટકનો સમાવેશ થાય છે.
ઈડર ટાઉનહોલમાં સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન
હિંમતનગરના આકોદરાથી 60 પદયાત્રીઓ માતાજીના રથ સાથે અંબાજી જવા રવાના
ભાદરવા મહિનાની શરૂઆત સાથે, ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી ખાતે અનેક પદયાત્રીઓનું આગમન શરૂ થયું છે. હિંમતનગરના આકોદરા ગામથી 60 યુવાનોનો સંઘ માતાજીના રથ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે. આકોદરા યુવક મંડળ દ્વારા 12 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે, અને આ 13મું વર્ષ છે. આ યુવાનો ચાર દિવસની પગપાળા યાત્રા બાદ ખેડબ્રહ્મા થઈને મંગળવારે અંબાજી માતાજીના મંદિરે પહોંચી દર્શન અને આરતીનો લાભ લેશે.
હિંમતનગરના આકોદરાથી 60 પદયાત્રીઓ માતાજીના રથ સાથે અંબાજી જવા રવાના
મહેસાણાના લાંઘણજમાં બોરના કેબલ વાયર ચોરતી ટોળકી ઝડપાઈ
લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોના બોર ઉપરથી થતી કેબલ વાયર ચોરીના 7 વણઉકેલાયેલા ગુનાઓનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેબલ ચોરી કરતી ટોળકીના ચાર શખ્સોને ચોરીના વાયર, બે મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ રૂ.2.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે, આંબલિયાસણથી બાલિયાસણ જવાના રસ્તા પાસે ચરામાંથી કેબલ વાયર છોલી રહેલા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા. પૂછપરછમાં તેમણે ધોળાસણ, શંકરપુરા અને ખદલપુર ગામના ખેતરોમાંથી ચોરીની કબૂલાત કરી.
મહેસાણાના લાંઘણજમાં બોરના કેબલ વાયર ચોરતી ટોળકી ઝડપાઈ
CRPF તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા પુત્રનું ભવ્ય સ્વાગત
બહુચરાજી તાલુકાના સુરજ ગામના કરશનભાઈ સકતાભાઈ ભરવાડે મધ્યપ્રદેશના નીમચ ખાતે CRPFની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતાં ગ્રામજનો, આગેવાનો અને સગા-સંબંધીઓ દ્વારા તેમનું જોગણી માતાજીના મંદિરથી નિવાસસ્થાન સુધી રેલી યોજી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. કરશનભાઈએ દેશસેવા માટે પસંદગી બદલ ગૌરવ વ્યક્ત કર્યું અને માતા-પિતાના આશીર્વાદ લીધા. પુત્રને દેશના રક્ષકની વર્દીમાં જોઈ માતા-પિતાની આંખો ખુશીથી છલકાઈ ઉઠી હતી.
CRPF તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા પુત્રનું ભવ્ય સ્વાગત
મહેસાણા ફાયરિંગ કેસમાં પાંચ વધુ આરોપીઓ નેપાળ બોર્ડર પરથી ઝડપાયા
મહેસાણા હાઇવે પર ભાવેશ દેસાઈ (ભાવેશ ઝીલીયા) પર થયેલા જીવલેણ હુમલા અને ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. નેપાળ બોર્ડર સુધી ભાગી ગયેલા મુખ્ય સૂત્રધાર જોરાવરસિંહ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ હુમલો ભાવેશ ઝીલીયા પર નહીં, પરંતુ તેની કારમાં હાજર 'નવઘણ' નામના શખ્સ સાથેની જૂની અદાવતમાં થયો હતો. કુલ 3 વાહનો અને 11 શખ્સો આ ગુનામાં સામેલ હતા. પોલીસે અગાઉ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે બાકીના 5 આરોપીઓને પણ દબોચી લેવાયા છે.
મહેસાણા ફાયરિંગ કેસમાં પાંચ વધુ આરોપીઓ નેપાળ બોર્ડર પરથી ઝડપાયા
રિક્ષામાં ભૂલાયેલ 82,500ની મતા ભરેલ બેગ 'નેત્રમ' ટીમે CCTVથી શોધી પરત કરી
મહેસાણા જિલ્લા પોલીસની 'નેત્રમ' (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ટીમે CCTV સર્વેલન્સનો ઉપયોગ કરીને નાગરિકની રિક્ષામાં ભૂલાઈ ગયેલી ₹82,500ની કિંમતની કિંમતી સામાન ભરેલી બેગ માત્ર થોડા જ કલાકોમાં શોધી કાઢી અને પરત કરી. આ બેગમાં સોનાની વીંટી, મોબાઈલ ચાર્જર, એટીએમ કાર્ડ અને દસ્તાવેજો સહિતનો સામાન હતો. ટીમે CCTV ફૂટેજની મદદથી પેસેન્જર રિક્ષા શોધી કાઢી અને રિક્ષાચાલકનો સંપર્ક કરીને બેગ પરત અપાવી. અરજદારે પોલીસ અને 'નેત્રમ' ટીમનો આભાર માન્યો.
રિક્ષામાં ભૂલાયેલ 82,500ની મતા ભરેલ બેગ 'નેત્રમ' ટીમે CCTVથી શોધી પરત કરી
વિદ્વાનોનો ગૌમાતા પર ૬ કલાક શાસ્ત્રાર્થ
અમદાવાદના સિરોહીના શ્રીમનોરમા ગોલોક તીર્થ નંદગામ ખાતે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શ્રીશંકરાચાર્યજીના ચાતુર્માસ મહોત્સવ નિમિત્તે એક અભૂતપૂર્વ શાસ્ત્રાર્થસભા યોજાઈ. આ સભામાં 11 જેટલા વિદ્વાનોએ લગભગ 6 કલાક સુધી ગાયના શાસ્ત્રીય મહત્વ, 'ગો' શબ્દનો અર્થ, અને ગૌસંવર્ધન-સંરક્ષણ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. 'ગચ્છતિ ઇતિ ગો' સૂત્ર મુજબ ગાયના ચાલવાથી સૃષ્ટિચક્ર ચાલે છે, અને વાત્સલ્ય શબ્દ પણ ગાયના સંતાનપ્રેમમાંથી ઉતરી આવ્યો છે, જેવી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો.
વિદ્વાનોનો ગૌમાતા પર ૬ કલાક શાસ્ત્રાર્થ
કુમકુમ મંદિરના સંતો દ્વારા મુનસર તળાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય પુષ્પાભિષેક
સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર (અમદાવાદ)ના સંતો દ્વારા વિરમગામના સુપ્રસિદ્ધ મુનસર તળાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્તિભાવપૂર્વક પુષ્પાભિષેક કરવામાં આવ્યો. આ પાવન અવસરે સંતો અને હરિભક્તો દ્વારા ધૂન, ભજન અને કીર્તનની રમઝટ બોલાવાઈ હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક તળાવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પાવન થયેલું તીર્થધામ છે. પ્રભુના આ ભૂમિ પરના પદાર્પણની સ્મૃતિમાં વિશેષ પૂજન અને પુષ્પાભિષેકનું આયોજન કરાયું.
કુમકુમ મંદિરના સંતો દ્વારા મુનસર તળાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય પુષ્પાભિષેક
વડોદરાના ઉંડેરા રોડ પર ભૂવો: વિદ્યાર્થીઓ સહિત લોકોની સલામતી જોખમમાં
વડોદરાના ઉંડેરા રોડ પર નજીવા વરસાદમાં ડ્રેનેજ લાઇન કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતાં રોડ બેસી ગયો અને ભૂવો પડ્યો. આ માર્ગ પર શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોવાથી અકસ્માતનો ભય છે. સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. શિયાબાગ રોડ પર તૂટેલા ગટરના ઢાંકણા પાસે પણ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ડભોઇ દશાલાડ ભવન નજીક પણ રોડના ખાડામાં કારનું ટાયર ફસાયું હતું. આવા અનેક સ્થળોએ કામગીરી બાદ નિરીક્ષણના અભાવે ખાડા પડી રહ્યા છે.
વડોદરાના ઉંડેરા રોડ પર ભૂવો: વિદ્યાર્થીઓ સહિત લોકોની સલામતી જોખમમાં
રણુંજ-ફીંચાલ ફાટક પાસે ઝૂકેલી બાવળની ડાળીઓ મેળા પૂર્વે હટાવવાની માંગ
પાટણ તાલુકાના રણુંજ-ફીંચાલ ફાટક નજીક રોડ પર ઝૂકી રહેલી બાવળની ડાળીઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહી છે. તીક્ષ્ણ ડાળીઓથી અકસ્માતનો ભય રહે છે, ખાસ કરીને આગામી 21 સપ્ટેમ્બરે યોજાનારા રામદેવપીરના મેળાને ધ્યાનમાં લેતા. મેળા દરમિયાન વધતા ટ્રાફિકને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકો અને વાહનચાલકો મેળા પહેલાં માર્ગ અને મકાન વિભાગ તથા સંબંધિત તંત્ર દ્વારા ડાળીઓનું તાત્કાલિક કટિંગ કરવાની માંગ કરી રહ્યા છે.
રણુંજ-ફીંચાલ ફાટક પાસે ઝૂકેલી બાવળની ડાળીઓ મેળા પૂર્વે હટાવવાની માંગ
પાટણમાં પર્યુષણના છઠ્ઠા દિવસે મુનિરાજ નયશેખરનું વ્યાખ્યાન
પર્વાધિરાજ પર્યુષણના પાવન અવસરે છઠ્ઠા દિવસે જૈન ઉપાશ્રય ખાતે પૂજ્ય મુનિરાજ નયશેખર મહારાજે વ્યાખ્યાન આપ્યું. તેમણે જણાવ્યું કે ક્ષમાપના વખતે નીકળેલાં આંસુ હજારો પવિત્ર ગંગાના જળ કરતાં વધુ પવિત્ર છે. ભગવાન મહાવીરના જીવનમાંથી પ્રેરણા લેતા, તેમણે અપરાધીઓ પ્રત્યે પણ કરૂણા દર્શાવી હતી. જ્યાં સુધી કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવ રહે, ત્યાં સુધી પરમાત્મા સાથે સાચો સંબંધ સ્થપાતો નથી. હૃદયમાં કષાયોની આગ શાંત ન થાય અને વેરઝેર ન છૂટે, તો આરાધના નિષ્ફળ જાય છે. સાંવત્સરી પ્રતિક્રમણ વખતે સર્વ જીવો પાસે નિષ્કપટ ભાવે ક્ષમા માંગવી જોઈએ.
પાટણમાં પર્યુષણના છઠ્ઠા દિવસે મુનિરાજ નયશેખરનું વ્યાખ્યાન
રાણકીવાવ અને પટોળાના પાટણને ‘સુપર ક્લીન’ બનાવવા 299 શ્રમયોગીઓની ફોજ મેદાનમાં
વિશ્વપ્રસિદ્ધ હેરિટેજ સિટી પાટણને સ્વચ્છ બનાવવા રાજ્ય સરકારની વિશેષ ગ્રાન્ટ મંજૂર. દેશ-વિદેશથી આવતા લાખો પ્રવાસીઓ માટે પાટણની શ્રેષ્ઠ છાપ ઊભી થશે, જે ટુરિઝમ અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. નગરપાલિકા દ્વારા શહેરના 13 મુખ્ય પ્રવેશ માર્ગોને સફાઈ ઝુંબેશ હેઠળ આવરી લેવાયા છે. સરસ્વતી નદીથી ગોપી પાર્ટી પ્લોટ, બગવાડા દરવાજાથી રેલવે ગરનાળુ જેવા એન્ટ્રી પોઈન્ટ્સ સુંદર બનાવાશે. ગાયત્રી મંદિર નજીક સફાઈ, કલર કામ ચાલી રહ્યું છે. 250 નિયમિત કર્મચારીઓ અને 49 નવા કર્મચારીઓ મળી કુલ 299 શ્રમયોગીઓની ટીમ તૈનાત કરાઈ છે.
રાણકીવાવ અને પટોળાના પાટણને ‘સુપર ક્લીન’ બનાવવા 299 શ્રમયોગીઓની ફોજ મેદાનમાં
વડોદરાની MSUના બોટની વિભાગની અનોખી પહેલ
વધતા મચ્છરજન્ય રોગો સામે જાગૃતિ લાવવા મ.સ. યુનિ.ના બોટનિકલ ગાર્ડન ખાતે મચ્છર-પ્રતિરોધક વનસ્પતિઓનો વિશેષ શૈક્ષણિક વિભાગ શરૂ કરવાની ભલામણ કરાઈ છે. બોટની વિભાગના પ્રો. પી.એમ.નાગરે કહ્યું કે, અહીં સિટ્રોનેલા ગ્રાસ, લેમન ગ્રાસ, તુલસી, રામ તુલસી, લીમડો, કરંજ, અજમો, કુકુંદર અને જંગલી હળદર રોપાશે. જેમાં રહેલા સિટ્રોનેલોલ, યુજેનોલ અને એઝાદિરાક્ટીન જેવા ઘટકો મચ્છરો તેમજ લાર્વાને નષ્ટ કરે છે. આ પહેલથી મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને તેના વૈજ્ઞાનિક ગુણધર્મો વિશે માહિતી મળશે. ગંધારી / લેન્ટાના લેમન-સેન્ટેડ યુકેલિપ્ટસ / નીલગિરી લેમનગ્રાસ કરંજ તજ લવિંગ લીમડો
વડોદરાની MSUના બોટની વિભાગની અનોખી પહેલ
મહેસાણાના લાંઘણજ પંથકમાં બોરના કેબલ ચોરનાર ટોળકી ઝડપાઈl
લાંઘણજ પંથકમાં બોરના કેબલ ચોરી કરતી ટોળકીને પોલીસે દબોચી લીધી છે. 4 શખ્સોને રૂ.2.65 લાખના મુદ્દામાલ સાથે પકડી 7 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટાવર ડમ્પ ડેટા મેળવી ટેકનિકલ એનાલિસિસ દ્વારા શંકાસ્પદ નંબર મેળવી બાતમીદારોની મદદથી દરોડો પાડ્યો હતો. આંબલિયાસણ અને ધોળાસણ ગામના ચાર શખ્સોને પકડી પૂછપરછ કરતાં તેમણે ધોળાસણ, શંકરપુરા અને ખદલપુર ગામની સીમમાં સાત બોર પરથી કેબલ કાપ્યાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ.1.50 લાખનો કેબલ તથા તાંબાનો ભંગાર અને વાયર કાપવાના સાધનો જપ્ત કર્યા હતા.
મહેસાણાના લાંઘણજ પંથકમાં બોરના કેબલ ચોરનાર ટોળકી ઝડપાઈl
મહેસાણા જિલ્લામાં ગણેશ સ્થાપન પૂર્વે થયેલ વરસાદથી મૂરઝાતા પાકને જીવતદાનની આશા
મહેસાણા જિલ્લામાં ચાર અઠવાડિયાના વરસાદ વિરામ બાદ, ગણેશ સ્થાપન પૂર્વે મેઘરાજાની કૃપા વરસતાં ખેડૂતોમાં રાહત ફેલાઈ છે. બહુચરાજીમાં 2 ઇંચથી વધુ, સતલાસણામાં દોઢ ઇંચ અને કડી-વિજાપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી મૂરઝાતા ઊભા પાકને નવજીવન મળવાની આશા જાગી છે. હવામાન વિભાગે સોમવારે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. બહુચરાજીમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને અંડરપાસ બંધ રહેતાં વાહનચાલકોને હાલાકી પડી હતી.
મહેસાણા જિલ્લામાં ગણેશ સ્થાપન પૂર્વે થયેલ વરસાદથી મૂરઝાતા પાકને જીવતદાનની આશા
શિયાળુ સિંચાઈ સામે જળ સંકટ
ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદની અછતને કારણે ઉત્તર ગુજરાતના જળાશયો ચિંતાજનક રીતે ખાલી થયા છે. કુલ જળસંગ્રહ 42.23% અને વપરાશ લાયક પાણી માત્ર 38.08% રહ્યું છે, જે ગયા વર્ષની 86.38% સરખામણીમાં ખૂબ ઓછું છે. છેલ્લા 8 વર્ષમાં આ સૌથી નબળી સ્થિતિ છે. બનાસકાંઠાના ડેમોમાં માત્ર 20.31% પાણી છે, દાંતીવાડા ડેમમાં 24.98% અને સીપુ ડેમમાં 4.45% પાણી સાથે સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. શિયાળુ પાકની વાવણી અને સિંચાઈ માટે પાણી મેળવવું ખેડૂતો માટે મોટો પડકાર બની રહેશે.
શિયાળુ સિંચાઈ સામે જળ સંકટ
વડોદરાના તરસાલી બ્રિજ પાસે રોડ ઓળંગતા યુવકને કારની ટક્કર
માણેજા ક્રોસિંગ પાસે રહેતો ભાવેશ રાઠવા તરસાલી બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારતાં તેના માથાના ભાગે અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક સયાજી હૉસ્પિટલમાં ખસેડાયેલા ભાવેશને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ભાવેશના લગ્ન વડોદરાની યુવતી સાથે થયા હતા, પરંતુ તેઓ અલગ રહેતા હતા.
વડોદરાના તરસાલી બ્રિજ પાસે રોડ ઓળંગતા યુવકને કારની ટક્કર
પોરબંદરમાં હડકાયા કૂતરાનો આતંક
પોરબંદર શહેરના વેકુરડી પ્લોટ વિસ્તારમાં હડકાયા કૂતરાએ 3 વર્ષની બાળકી સહિત કુલ 17 લોકોને બચકા ભર્યા હતા. આ ઘટનાને પગલે રજાના દિવસે સરકારી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી. મનપાના તંત્રને જાણ થતાં મેયર સાગર મોદીએ તાત્કાલિક શ્વાનને પાંજરે પૂરવા આદેશ આપ્યો હતો. નગરપાલિકાના સ્ટાફે ભારે જહેમત બાદ હડકાયા શ્વાનને પકડી પાડ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરમાં હડકાયા કૂતરાનો આતંક
ST નોકરી છોડી સેવા યજ્ઞ: 43 વર્ષમાં 135 થી વધુ માનસિક દિવ્યાંગોને મળ્યું નવજીવન
પોરબંદરમાં ST ડ્રાઇવરની નોકરી છોડીને પ્રાગજીબાપાએ 43 વર્ષ પૂર્વે માનસિક દિવ્યાંગોની સેવા શરૂ કરી. તેમના અથાગ પ્રયાસોથી આજે એક આશ્રમ બની ગયો છે, જ્યાં 80 થી વધુ માનસિક દિવ્યાંગોની નિષ્ઠાપૂર્વક સારવાર અને દેખભાળ કરવામાં આવે છે. છેલ્લા 43 વર્ષમાં, આ આશ્રમે 135 થી વધુ પરમહંસોને સ્વસ્થ કરીને તેમને સમાજમાં પુનઃસ્થાપિત કર્યા છે. પ્રાગજીબાપાના આ સેવાયજ્ઞએ માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ST નોકરી છોડી સેવા યજ્ઞ: 43 વર્ષમાં 135 થી વધુ માનસિક દિવ્યાંગોને મળ્યું નવજીવન
મિત્રના કારણે નોટિસોથી કંટાળી યુવાને વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.
પોરબંદરના અડવાણા ગામના રાણા રામદેવ ઓડેદરા નામના યુવાને પોતાના મિત્ર અર્જુનભાઈ ભરતભાઈ મોઢવાડિયા (ઉર્ફે રાયા) માટે સ્કૂટર લેવા રૂ. 3 લાખની લોન પોતાના નામે કરાવી હતી. મિત્ર અર્જુનભાઈએ શરૂઆતના થોડા હપ્તા ભર્યા બાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું, જેના કારણે રૂ. 1,95,000 ભરવાના બાકી રહ્યા. રાજકોટથી આવતી નોટિસો અને પોલીસ સ્ટેશનના ધક્કાઓથી કંટાળી અને મિત્ર તરફથી યોગ્ય જવાબ ન મળતા, રાણાભાઈએ પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ યુવાનને પોરબંદર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રના કારણે નોટિસોથી કંટાળી યુવાને વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.
જૂનાગઢ ફાયર ટીમે પાંજ નાકા પુલ પરથી નીચે પડેલા યુવકનો જીવ બચાવી કર્યો અદભૂત રેસ્ક્યુ
જૂનાગઢના ભવનાથ રોડ પર પાંજ નાકા પુલની દિવાલ પર બેઠેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા. આ બનાવની જાણ થતાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પુલ નીચે પડેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. યુવકને હાથ-પગમાં ઈજા થઈ હતી, પરંતુ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી તેનો જીવ બચી ગયો.
જૂનાગઢ ફાયર ટીમે પાંજ નાકા પુલ પરથી નીચે પડેલા યુવકનો જીવ બચાવી કર્યો અદભૂત રેસ્ક્યુ
સોમનાથ સ્ટેશન પર સુવિધાઓ વધારવા પર ભાર
ભાવનગર મંડળના DRM દિનેશ વર્માએ વિવિધ રેલખંડો, ફાટકો અને સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું. જૂનાગઢ ખાતે 100 કરોડના સ્ટેશન રીડેવલપમેન્ટ કાર્યોની સમીક્ષા કરી અને ગુણવત્તા તથા સમયમર્યાદા જાળવવા સૂચના આપી. ગ્રોફેડ વિસ્તારમાં બની રહેલા નવા મીટર ગેજ સ્ટેશનની પ્રગતિ અંગે સાંસદ સાથે ચર્ચા કરી. સોમનાથ સ્ટેશન પર મુસાફર સુવિધાઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે 11 અને 12 સપ્ટેમ્બરે ભાવનગર-ધોળા, ધોળા-વેરાવળ સેક્શનના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
સોમનાથ સ્ટેશન પર સુવિધાઓ વધારવા પર ભાર
રાજકોટના રેલનગરમાં તંત્રની બેદરકારી
રેલનગર સ્થિત સાધુ વાસવાણી કુંજ રોડ પર સુપર માર્કેટ અને જાહેર બગીચા સામે છેલ્લા એક મહિનાથી એક ઊંડો ખાડો પડ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા આ મોતના ખાડાને પૂરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારમાં સાંજે નાગરિકોની અવરજવર વધુ રહેતી હોવાથી, સુરક્ષા માટે કોઈ બેરિકેડ કે ચેતવણી બોર્ડ ન હોવાને કારણે અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને મોટી દુર્ઘટનાની રાહ જોવાની વૃત્તિ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.
રાજકોટના રેલનગરમાં તંત્રની બેદરકારી
રાજકોટના ધર્મેશ્વર મંદિર પાસે ગંદા પાણી ભરાયાં
ધર્મનગર મેઇન રોડ પર ધર્મેશ્વર મહાદેવ મંદિર નજીક ગંદા પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા મનપા તંત્રની ઘોર લાપરવાહી દેખાઈ રહી છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગટરના દૂષિત પાણી ભરાવાથી દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ધાર્મિક સ્થળે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો તથા ભક્તોમાં રોષ છે. ગંદા પાણીના કારણે રોગચાળાનો ભય વધી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં મનપા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી.
રાજકોટના ધર્મેશ્વર મંદિર પાસે ગંદા પાણી ભરાયાં
રાજકોટ સ્થિત કસ્તુરબા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જોશીને ‘બેસ્ટ આચાર્ય’ એવોર્ડ
રાજકોટની કસ્તુરબા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જાનકીબેન જોશીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ‘National Builder Award’ હેઠળ શ્રેષ્ઠ આચાર્યના એવોર્ડથી સન્માનિત કરાયા. નિયો ક્લબ અને રોટરી ક્લબ ઓફ મીડટાઉન રાજકોટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેયર ડો.નેહલ શુક્લ અને ઋષભ રૂપાણીની ઉપસ્થિતિ રહી. ત્રણ વર્ષમાં, જાનકીબેન જોશીએ ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં ખાનગી શાળાઓ જેવી સુવિધાઓ પૂરી પાડી છે. ધો.9થી 12ના વર્ગોમાં અગાઉ ખાલી રહેતી સંખ્યાની જગ્યાએ આજે એડમિશન માટે વેઇટિંગ છે. બોર્ડ પરિણામ 96% સુધી પહોંચાડવા, NSS, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ અને નિયમિત પેરેન્ટ્સ-ટીચર્સ મિટિંગ થકી વાલીઓનો વિશ્વાસ જીત્યો.
રાજકોટ સ્થિત કસ્તુરબા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જોશીને ‘બેસ્ટ આચાર્ય’ એવોર્ડ
અકસ્માત બાદ પણ તૂટેલા રોલર ક્રશર બેરીયરનું સમારકામ થયું નથી
ભુજ-માંડવી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા રોલર ક્રશર બેરીયરના કારણે ડ્રાઇવરનો બચાવ થયો. પરંતુ અકસ્માતને એક માસ વીતી ગયો હોવા છતાં, તૂટેલા બેરીયરનું સમારકામ કે નવા બેરીયર લગાવવામાં આવ્યા નથી. આ સુરક્ષા કવચ ખુદ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો વાહનચાલકો અને મુસાફરો ચર્ચા કરી રહ્યા છે. જો ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન છે.
અકસ્માત બાદ પણ તૂટેલા રોલર ક્રશર બેરીયરનું સમારકામ થયું નથી
ભુજમાં ગણેશોત્સવમાં વીજ દુર્ઘટના નિવારણ માટે જનજાગૃતિ અભિયાન
ગણેશોત્સવ દરમિયાન વીજ દુર્ઘટના નિવારવા PGVCL દ્વારા જાહેર જનતા અને આયોજકો માટે સલામતી સૂચનો જાહેર કરાયા છે. ગણેશ પંડાલો માટે માન્ય ટેમ્પરરી વીજ કનેક્શન તથા સુરક્ષિત વાયરિંગ, ELCB/RCCB, અને યોગ્ય વાયરનો ઉપયોગ કરવો. HT/LT વીજ લાઇન નીચે કે નજીક પંડાલ ન બનાવવા, CEA માર્ગદર્શિકા મુજબ સલામત અંતર જાળવવું. મૂર્તિ સ્થાપના અને વિસર્જન સમયે પણ સાવચેતી રાખવી. વાહનો, ક્રેન વીજ લાઇનથી દૂર રહે તે સુનિશ્ચિત કરવું. વધુ માહિતી માટે PGVCL કચેરીનો સંપર્ક કરો.
ભુજમાં ગણેશોત્સવમાં વીજ દુર્ઘટના નિવારણ માટે જનજાગૃતિ અભિયાન
દીપડાની હાજરીથી સરાર ગામમાં ફફડાટ
વડોદરા નજીકના કાશીપુરા-સરાર અને ખલીપુર ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળી રહી છે. શનિવારે મોડી રાત્રે દીપડાએ એક ખેતરમાં રાખેલા વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે, ખાસ કરીને પશુપાલકોને રાત્રે ઉજાગરા કરવા પડી રહ્યા છે. વનવિભાગે ઘટનાના 30 કલાક બાદ સોમવારે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો, જેના કારણે લોકો વધુ સાવચેત બન્યા છે.