નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. 21.15 લાખની નશાકારક કફ સિરપ ઝડપાઈ
અમદાવાદના નારોલ ચાર રસ્તા પાસે પોલીસે નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ કારમાંથી ગેરકાયદે કોડીન ફોસ્ફેટ યુક્ત નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સિરપની કુલ કિંમત રૂ. 21.15 લાખ જેટલી થાય છે. પોલીસે આ જથ્થાનો કબજો લેનાર દાણીલીમડાના બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ નશાકારક સિરપનો જથ્થો જુહાપુરાના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે પોલીસે તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નંબર પ્લેટ વગરની કારમાંથી રૂ. 21.15 લાખની નશાકારક કફ સિરપ ઝડપાઈ
ઈગ્લુ, પેંગ્વિન અને બરફ વર્ષા વચ્ચે બિરાજ્યા 'બાપ્પા'
સુરતના નાનપુરામાં આયોજકોએ ગણેશોત્સવમાં ‘સ્નો સિટી’ થીમ પર આધારિત એક અનોખો પંડાલ તૈયાર કર્યો છે. લગભગ છ મહિનાની મહેનત બાદ, આ પંડાલમાં ઈગ્લુ, પેંગ્વિન, આઈસમેન અને બરફીલા પ્રદેશના પ્રાણીઓ જેવી સજાવટ કરવામાં આવી છે. સ્નો મશીન દ્વારા કૃત્રિમ બરફવર્ષા અને આઠ એસી યુનિટ દ્વારા ઠંડકનો અનુભવ કરાવવામાં આવે છે, જે મુલાકાતીઓને સ્વિત્ઝર્લેન્ડના બરફીલા વાતાવરણનો અહેસાસ કરાવે છે. આ પંડાલ ગણેશોત્સવ દરમિયાન લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઈગ્લુ, પેંગ્વિન અને બરફ વર્ષા વચ્ચે બિરાજ્યા 'બાપ્પા'
વડા પ્રધાનની અપીલ વચ્ચે સુરતના ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં 'વતન યાત્રા'
વડા પ્રધાનના ઈંધણ બચાવવાના સંદેશા વચ્ચે સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી દ્વારા પાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ તેમના વતન જલગાંવ જિલ્લાના કડમસર ગામ સુધી કરવામાં આવ્યો, જે ચર્ચાનો વિષય બન્યો છે. લગભગ 300 કિલોમીટર દૂર પોતાના ગામમાં મંદિર કાર્યક્રમમાં પહોંચવા માટે સરકારી ગાડી અને સાયરનનો ઉપયોગ થયો, જેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાએ પ્રજાના પૈસે સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ અને તેના ખર્ચ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે, ડેપ્યુટી મેયરનો દાવો છે કે નિયમોનું પાલન થયું છે અને ચાર્જની ભરપાઈ પણ કરાઈ છે.
વડા પ્રધાનની અપીલ વચ્ચે સુરતના ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં 'વતન યાત્રા'
વડોદરાના વોર્ડ-14ના ચુનારાવાસમાં ડ્રેનેજ-પાણીની સમસ્યા
વડોદરા શહેરના વોર્ડ નંબર-14માં આવેલા ચુનારાવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ડ્રેનેજ ઉભરાવવાની, નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપ તેમજ પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી ન મળવાની રજૂઆત સાથે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર-14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વિસ્તારમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. ઉપરાંત, પાણી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું ન મળવાની પણ ફરિયાદ છે. રહીશોએ માત્ર હંગામી કામગીરીને બદલે કાયમી ઉકેલની માગ કરી છે.
વડોદરાના વોર્ડ-14ના ચુનારાવાસમાં ડ્રેનેજ-પાણીની સમસ્યા
વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગ પાસે પાર્કિંગના નામે ગેરકાયદેસર વસૂલાતનો આક્ષેપ
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પાસે આવેલા પાર્સલ વિભાગમાં મોપેડ પાર્કિંગને લઈને એક મહિલાના પતિએ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાર્સલની પૂછપરછ માટે ગયેલી તેમની પત્ની પાસેથી મોપેડ પાર્ક કરવાના બદલામાં રૂ.100 માંગવામાં આવ્યા હતા, જે ઓનલાઈન ચૂકવ્યા હતા. આક્ષેપ છે કે ‘નો પાર્કિંગ’ ઝોન ન હોવા છતાં પાર્કિંગના નામે પૈસા પડાવવામાં આવ્યા. સામાન્ય પૂછપરછ માટે આવતા લોકો પાસેથી આવી રીતે નાણાં વસૂલવા અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગ પાસે પાર્કિંગના નામે ગેરકાયદેસર વસૂલાતનો આક્ષેપ
જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવની અનોખી ‘ગણેશ ગેલેરી’
જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવે છેલ્લા 40 વર્ષથી ગણેશજીના વિવિધ સ્વરૂપો, આકારો, કદ અને રંગની મૂર્તિઓ તથા ગણેશજી સાથે સંકળાયેલી 3 હજારથી વધુ વસ્તુઓનો અનોખો સંગ્રહ કર્યો છે. તેમણે પોતાના નિવાસસ્થાને એક અદભૂત ‘ગણેશ ગેલેરી’ ઊભી કરી છે, જેમાં 800થી વધુ ગણેશજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ગેલેરીમાં એક જ સ્થળે ગણેશજીના અનેક સ્વરૂપોના દર્શન કરી શકાય છે. ઉત્સુકતામાંથી શરૂ થયેલો આ સંગ્રહ આજે ગણેશજીના વિવિધ સ્વરૂપો અને તેના ઇતિહાસની જાણકારી આપતી એક વિશિષ્ટ ગેલેરી બની ગયો છે.
જામનગરમાં ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવની અનોખી ‘ગણેશ ગેલેરી’
જામનગરમાં સંવત્સરી પર્વની ભવ્ય ઉજવણી
જામનગરમાં જૈન સમાજે પવિત્ર પર્યુષણ મહાપર્વ નિમિત્તે સંવત્સરીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી. વિવિધ દેરાસરોમાં વિશેષ પૂજા તથા ઉપાશ્રયોમાં ધાર્મિક વ્યાખ્યાનો યોજાયા. સાંજે સમૂહ પ્રતિક્રમણ બાદ, જૈન શ્રાવક-શ્રાવિકાઓએ પરસ્પર ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી ભૂલો બદલ ક્ષમાયાચના કરી, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો. તપસ્વીઓના પારણાં અને ભવ્ય રથયાત્રા પણ યોજાશે, જે સમાજમાં સંયમ અને એકતાનો માહોલ સર્જશે.
જામનગરમાં સંવત્સરી પર્વની ભવ્ય ઉજવણી
જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ: 68 મૂર્તિઓનું બંને કુંડમાં થયું વિસર્જન
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરાયેલા બંને કુંડમાં ગણેશજીની વિદાયનો ક્રમ શરૂ થયો છે. ગણેશ ચતુર્થીના પર્વે સ્થાપના કરાયેલી મૂર્તિઓ પૈકી, ગઈકાલે તા. 15 સપ્ટેમ્બરે શહેરના બંને વિસર્જન કુંડમાં કુલ 68 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા બાયપાસ કુંડમાં 51 અને સરદાર રિવેરા કુંડમાં 17 મૂર્તિઓનું વિસર્જન થયું. પર્યાવરણની જાળવણી સાથે સુવ્યવસ્થિત વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત કુંડનો ઉપયોગ થઈ રહ્યો છે.
જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ: 68 મૂર્તિઓનું બંને કુંડમાં થયું વિસર્જન
તરણેતર મેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ તૂટ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાયેલા વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ અચાનક તૂટી પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનામાં 4-5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, મેળામાં હાજર જાગૃત લોકોની સમયસર સૂઝબૂઝ અને મદદથી લોખંડની એંગલને ટેકો આપી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટાળી શકાઈ. આ ઐતિહાસિક મેળામાં સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100થી વધુ ડૉક્ટરોની ટીમ તૈનાત છે.
તરણેતર મેળામાં 'મોતના કૂવા'નું સ્ટેજ તૂટ્યું
CJPનું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન ગુજરાત પહોંચશે
CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા દેશભરની સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરવા માટે શરૂ કરાયેલું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન હાલ ચર્ચામાં છે. મહારાષ્ટ્રના એક ગામથી શરૂ થયેલું આ અભિયાન હવે અનેક રાજ્યોમાં પહોંચી ગયું છે. CJPના સંસ્થાપક અભિજિત દીપકેના તાજેતરના નિવેદન બાદ ગુજરાતમાં પણ આ અભિયાન શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, કારણ કે તેમણે ગુજરાત જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અભિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ચાલી રહ્યું છે.
CJPનું 'સ્કૂલ ઠીક કરો' અભિયાન ગુજરાત પહોંચશે
અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે GSRTC 6 હજાર વધારાની બસો દોડાવશે
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ‘ભાદરવી પૂનમ મહામેળા’ માટે લાખો માઈભક્તોમાં ઉત્સાહ છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા મા અંબાના દર્શને પહોંચે છે. આ માઈભક્તો દર્શન બાદ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે તે માટે GSRTC રેગ્યુલર બસો ઉપરાંત મોટા પાયે 6 હજાર વધારાની બસો દોડાવશે. આ વિશેષ બસોનું સંચાલન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો પરથી કરવામાં આવશે, જેથી ગુજરાતના કોઈપણ ખૂણેથી આવતા યાત્રિકોને સીધી અને સરળ બસ સેવા મળી રહેશે.
અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે GSRTC 6 હજાર વધારાની બસો દોડાવશે
39 કરોડના બાજવા બ્રિજ પર ખાડા, તિરાડો
વડોદરાના રૂ.39 કરોડના ખર્ચે બનેલા બાજવા બ્રિજ પર થોડા જ વર્ષોમાં ખાડા અને તિરાડો જોવા મળી રહી છે. વર્ષ 2016માં શરૂ થયેલી કામગીરી 2024માં પૂર્ણ થઈ, પરંતુ ખુલ્લો મૂક્યા બાદ તરત જ ગાબડું પડ્યું હતું. હાલ બ્રિજ પર ઠેરઠેર મોટા ખાડાઓ, તિરાડો અને કેટલાક સ્થળોએ RCC બ્રિજના સળિયા પણ દેખાઈ રહ્યા છે. ડામરના થીગડા મારવા છતાં નવા ખાડા સર્જાતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. બાંધકામની ગુણવત્તા અને દેખરેખ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
39 કરોડના બાજવા બ્રિજ પર ખાડા, તિરાડો
વડોદરા કોર્પોરેશનની કચેરી પાસે રસ્તા પર લારી-પથારાનો જમાવડો
વડોદરા કોર્પોરેશનના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ગુરુદ્વારા તરફ જતા મુખ્ય માર્ગ પર ફ્રૂટની લારીઓ અને ફૂટના પથારાને કારણે વાહનચાલકોની મુશ્કેલી યથાવત્ છે. મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાયા બાદ થોડા સમય માટે રસ્તો ખુલ્લો રહે છે, પરંતુ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરી લારીઓ ગોઠવાઈ જાય છે. આ વ્યસ્ત માર્ગ પર દબાણને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને અકસ્માતનો ભય રહે છે. વારંવાર કાર્યવાહી છતાં કાયમી ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.
વડોદરા કોર્પોરેશનની કચેરી પાસે રસ્તા પર લારી-પથારાનો જમાવડો
સુરતના સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કુલ ૧૦ ફાયર સ્ટેશનોની ગાડીઓ અને ફાયર ફાઈટર્સની મદદથી આગ પર મહામહેનતે કાબુ મેળવવામાં આવ્યો. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું મનાય છે. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે.
સુરતના સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ
કેદારનાથ ધામ ૧૨ લાખ રુદ્રાક્ષથી સુશોભિત
વડોદરાના સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક અને ગુજરાતના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે, તેમના પરિવારે અને સમિતિએ નેપાળથી લાવેલા ૧૨ લાખ રુદ્રાક્ષથી કેદારનાથ ધામને શણગારવાનો સંકલ્પ લીધો હતો. વડોદરાના જાગનાથ મંદિરમાં બે મહિના સુધી રુદ્રાક્ષની માળા તૈયાર કરવાની કામગીરી ચાલી હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ કાર્ય પૂર્ણ થયું, જેનાથી સ્વ. યોગેશ પટેલની અધૂરી ઈચ્છા પરિપૂર્ણ થઈ. આ કાર્યમાં મદદ કરનાર સૌનો આભાર માનવામાં આવ્યો.
કેદારનાથ ધામ ૧૨ લાખ રુદ્રાક્ષથી સુશોભિત
વડોદરામાં તળાવ કિનારે શ્રીજી વિસર્જનના નામે રૂ.500 થી 800ની માંગણીનો આક્ષેપ
વડોદરા કોર્પોરેશન દ્વારા ગણેશોત્સવ દરમિયાન કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિનામૂલ્યે વિસર્જન કરવાની જાહેરાત કરાઈ છે, જેના બેનરો પણ લગાવ્યા છે. પરંતુ, સ્થળ પર પ્રતિમા વિસર્જન માટે રૂ. 500 થી 800 સુધીની રકમ માંગવામાં આવતી હોવાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે. મોંઘવારીના આ સમયમાં આ યોગ્ય નથી, તેમ તેમનું કહેવું છે. જો પૈસા લેવાતા હોય તો વિનામૂલ્યેની જાહેરાત શા માટે? આક્ષેપ મુજબ, દર વર્ષે તરવૈયાઓ ભક્તો પાસેથી નાણાં માંગે છે. કોર્પોરેશનનો બચાવ છે કે ભક્તો ખુશીથી આપે છે, પરંતુ સામાજિક કાર્યકરે આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે.
વડોદરામાં તળાવ કિનારે શ્રીજી વિસર્જનના નામે રૂ.500 થી 800ની માંગણીનો આક્ષેપ
વડોદરાના વાસણા રોડ મિડ સિટી જીમ સંચાલક સામે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો
વડોદરાના વાસણા રોડ સ્થિત મિડ સિટી જીમના સંચાલક મેહુલ ચંદ્રકાંતભાઈ સોલંકી સામે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે જીમમાં ગયેલી એક સગીરા સાથે ટ્રેનરે ઊંચાઈ માપવાના બહાને કેબિનમાં બોલાવી અભદ્ર છેડછાડ કરી હતી, જેના પગલે ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસમાં, જીમ દ્વારા એક કર્મચારી ધાર્મિક પુરોહિતની માહિતી પોલીસને ન આપ્યાનું અને રજીસ્ટ્રેશન ન કરાવ્યાનું સામે આવ્યું. આ જાહેરનામા ભંગ બદલ પોલીસે સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી છે.
વડોદરાના વાસણા રોડ મિડ સિટી જીમ સંચાલક સામે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો
જામનગરના રાજપાર્કમાં થોડા વરસાદમાં આંગણવાડીનું પ્રાંગણ તળાવ બન્યું
જામનગર શહેરમાં મેઘરાજાની પધરામણી સાથે જ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. વોર્ડ નં. 10ના રાજપાર્ક વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર-4નું પ્રાંગણ થોડા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ જતાં નાના ભૂલકાંઓ અને તેમના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આંગણવાડીનું પ્રાંગણ તળાવ જેવું બની જાય છે, જેના કારણે બાળકોને આવવા-જવામાં મુશ્કેલી પડે છે અને કપડાં-જૂતાં ભીંજાઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા વારંવાર બનતી હોવાથી કાદવ-કીચડની સ્થિતિ રહે છે. વાલીઓ નગરસેવકો પાસે કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે.
જામનગરના રાજપાર્કમાં થોડા વરસાદમાં આંગણવાડીનું પ્રાંગણ તળાવ બન્યું
ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર પર બોગસ પાસપોર્ટથી 6 દેશો ફરવાનો આરોપ
ગુજરાત ATSએ હરિકેશ પટેલ નામના શખ્સ વિરુદ્ધ બોગસ પાસપોર્ટ હેઠળ 6 દેશોમાં મુસાફરી કરવા બદલ ગુનો નોંધ્યો છે. કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે, આરોપીએ પોતાનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં, ખોટા દસ્તાવેજો અને સરનામાના આધારે ઉત્તર પ્રદેશમાંથી નવો પાસપોર્ટ મેળવ્યો હતો. આ પાસપોર્ટનો ઉપયોગ કરીને તેણે ભૂતાન, બેંગકોક, સિંગાપોર, દુબઈ અને નેપાળની મુસાફરી કરી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે તપાસ કરતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર પર બોગસ પાસપોર્ટથી 6 દેશો ફરવાનો આરોપ
જામનગરના રામેશ્વર નગરમાં ઘર પાસે પાર્ક કરેલું એક્ટિવા ચોરાયું
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું ₹30,000 કિંમતનું હોન્ડા એક્ટિવા ચોરાઈ જવાના મામલે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવાનજીભાઈ મુરુભાઈ મંડોરાએ જણાવ્યું કે 16 ઓગસ્ટની રાત્રે 11:30 થી 17 ઓગસ્ટની સવારે 6 વાગ્યાની વચ્ચે તેમનું સિલ્વર કલરનું હોન્ડા એક્ટિવા (GJ.10.DF.2407) ચોરાયું. આ અંગે 15 સપ્ટેમ્બરે IPC કલમ 303(2) હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
જામનગરના રામેશ્વર નગરમાં ઘર પાસે પાર્ક કરેલું એક્ટિવા ચોરાયું
જામનગરમાં જૂની પૈસાની લેતીદેતી મામલે ટ્રકચાલક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં જૂની પૈસાની લેતીદેતી બાબતે એક ટ્રકચાલક પર ચાર શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો ઉપયોગ કરી જીવલેણ હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ અંગે ગુલાબનગર વિસ્તારના રહીમ ઉર્ફે નિંઢો ઇબ્રાહીમ ખીરા (ઉ.વ.40)એ સિટી-સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPC કલમ 115(2), 351(2), 352, 54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં જૂની પૈસાની લેતીદેતી મામલે ટ્રકચાલક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો
દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ
જામનગર શહેરના ખેતીવાડી રાજીવનગર કોલોનીમાં દારૂ પીને તોફાન કરતા પતિ વિરુદ્ધ પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી-સી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી જયશ્રીબેને પોલીસને જણાવ્યું કે તેમના પતિ ખીમજીભાઈ દારૂ પીધેલી હાલતમાં તોફાન કરતા હોવાથી તેમણે 112 પોલીસ સેવામાં મદદ માંગી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પતિ-પત્નીને પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં ખીમજીભાઈ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેમની પાસે કોઈ પાસ-પરમિટ નહોતી.
દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ
જામનગર પોલીસકર્મી સહિત 4 પર વ્યાજખોરી-ખંડણીનો ગુનો
જામનગરના એક સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરી અને બળજબરીથી નાણાં વસૂલવાના ગંભીર આક્ષેપો બાદ, હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ રેન્જ ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SIT ની રચના કરી તપાસ સોંપવામાં આવી છે. ફરિયાદીનો દાવો છે કે રૂ. 50 લાખના વ્યાજખોરીના વ્યવહારમાં અત્યાર સુધીમાં રૂ. 1,05,02,000 ચૂકવી દીધા હોવા છતાં, વધુ રકમ માટે ધમકીઓ અને નોટરાઇઝ્ડ લખાણો કરાવી ચેક બાઉન્સ કરાવવાનો પ્રયાસ કરાયો. SIT હાલ આરોપીઓના રહેઠાણ પર તપાસ કરી રહી છે.
જામનગર પોલીસકર્મી સહિત 4 પર વ્યાજખોરી-ખંડણીનો ગુનો
જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ
જામનગર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ગઈકાલે ગ્રામ્ય પંથકમાં થયેલા છૂટાછવાયા વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે. આ વરસાદને કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ જળવાયું છે, જે ખેતીકાર્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 મી.મી. વરસાદ નોંધાયો છે, જેમાં જામનગર શહેરમાં 9 મી.મી. અને ગ્રામ્ય વિસ્તારોમાં નવાગામમાં સૌથી વધુ 25 મી.મી. વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામ
જામનગર પોલીસે બે દરોડામાં દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
જામનગર શહેરમાં અને પંચકોશી-બી પોલીસ મથકના વિસ્તારમાં પોલીસે બે અલગ-અલગ દારૂના દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 5,200 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હરેશ ઉર્ફે હરીભાઈ, અજીતભાઈ વશરામભાઈ અને સાહિલભાઈ રસીદભાઈ નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જામનગર પોલીસે બે દરોડામાં દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
જામનગર શહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા
જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં પોલીસે જુગારના બે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા. બંને દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ.14,210 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા. આ કાર્યવાહી જુગારધારા કલમ 12 હેઠળ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા
જામનગર ફાયર વિભાગને મળ્યા 10 અત્યાધુનિક વાહનો
જામનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગને 10 નવા અત્યાધુનિક વાહનો મળ્યા છે, જે નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનાવશે. આ વાહનો અદ્યતન ટેકનોલોજી અને સાધન-સામગ્રીથી સજ્જ છે, જે રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. રાજ્ય સરકારની નીતિ અંતર્ગત 14 જૂના વાહનોને સેવામુક્ત કર્યા બાદ આ નવા વાહનો ખરીદવામાં આવ્યા છે. નવા કાફલામાં 4 વોટર બાઉઝર, 3 મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, 2 મિની ફાયર ટેન્ડર અને 1 ટોયોટા હાઇલેક્સ કોન્વોય વ્હીકલનો સમાવેશ થાય છે. આનાથી સાંકડા માર્ગો, ઔદ્યોગિક વિસ્તારો અને હાઇરાઇઝ ઇમારતોમાં પણ ફાયર બ્રિગેડની કામગીરી વધુ સક્ષમ બનશે.
જામનગર ફાયર વિભાગને મળ્યા 10 અત્યાધુનિક વાહનો
વડોદરામાં પાણીની લાઇન સમારકામ પૂર્ણ
વડોદરા કોર્પોરેશન દ્વારા માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે પાણીની લાઇનના ભંગાણ બાદ સમારકામ થયું છે. જોકે, લાઇનનું કામ પૂર્ણ થયા પછી પણ રસ્તાનું પેચવર્ક થયું નથી. આ કારણે બેરીકેડ યથાવત્ છે, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. 24 કલાક અવરજવર રહેતા આ માર્ગ પર વાહનોને પસાર થવામાં હાલાકી થાય છે, અને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. સ્થાનિકો તાત્કાલિક પેચવર્ક અને બેરીકેડ હટાવવાની માગ કરી રહ્યા છે.
વડોદરામાં પાણીની લાઇન સમારકામ પૂર્ણ
ગૂગલ પરથી નંબર શોધી કસ્ટમર કેરનો સંપર્ક કરનારા સાવધાન
અમદાવાદમાં પશ્ચિમ રેલવેના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ ગૂગલ પરથી શોધેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં રૂ. 73 હજારની ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. મીશો એપ્લિકેશન પર ઓર્ડર કરેલ ડ્રેસના રિફંડ માટે તેમણે ગૂગલ પરથી નંબર શોધી સંપર્ક કર્યો હતો. સાયબર ઠગે વોટ્સએપ પર APK ફાઈલ મોકલી ફોન હેક કરી લાખો રૂપિયા સેરવી લીધા હતા. ગઠિયાઓ ગૂગલ જેવા સર્ચ એન્જિન પર ફેક ટોલ-ફ્રી નંબરો મૂકી ગ્રાહકોને શિકાર બનાવી રહ્યા છે.
ગૂગલ પરથી નંબર શોધી કસ્ટમર કેરનો સંપર્ક કરનારા સાવધાન
જેટકોમાં 8000 જગ્યાના વાયદા સામે 271ની ભરતી!
વડોદરા જેટકો (Jetco) ની ભરતી મુદ્દે રાજ્યભરના 200-300 ઉમેદવારોએ રેસકોર્સ ખાતે દેખાવો કર્યા. ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી-2026 સહિત વિવિધ મુદ્દાઓ પર ન્યાયની માગ કરી. અગાઉ 8000 જગ્યા ભરવાનો વાયદો હતો, પણ માત્ર 271ની ભરતી કરાયાનો આક્ષેપ. આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ કરી લાયક ઉમેદવારોને નિયમિત ભરતીમાં તક આપવાની તથા એપ્રેન્ટિસ ઉમેદવારોનું ભવિષ્ય સુરક્ષિત કરવાની માંગ કરાઈ. છેલ્લા ચાર વર્ષથી ભરતી ન થતાં અને નિમણૂક આદેશ ન મળતાં ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો.
જેટકોમાં 8000 જગ્યાના વાયદા સામે 271ની ભરતી!
'હું ઔડાનો ડિરેક્ટર છું' કહી ગરીબોના ૧૯.૬૦ લાખ પડાવ્યા
ગુજરાતમાં નકલી સરકારી કર્મચારીઓ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજેશસિંહ રાઠોડ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. તેણે પોતાની ઓળખ ઔડા (AUDA) ના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે આપી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી જયશ્રીબેન શર્મા અને તેમના ગ્રુપ પાસેથી કુલ રૂપિયા ૧૯.૬૦ લાખ પડાવી લીધા. રૂપિયા લીધા બાદ મકાન ન મળતાં અને આપેલા ચેક બાઉન્સ થતાં, ભોગ બનનારાઓએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી ઔડા સાથે કોઈ જ સંબંધ ધરાવતો નથી.