જન્માષ્ટમી પહેલા સુરતમાં કાન્હાના ‘મેકઅપ પાર્લર’ ધમધમ્યા
જન્માષ્ટમી પહેલા સુરતમાં કાન્હાના ‘મેકઅપ પાર્લર’ ધમધમ્યા
Published on: 02nd September, 2026

જન્માષ્ટમીના પવિત્ર અવસરે સુરતમાં કાન્હાજીની પ્રતિમાઓને શણગારવા માટે ખાસ 'મેકઅપ પાર્લર' સક્રિય બન્યા છે. ભક્તો પોતાના ઘરે બિરાજમાન લાલાને સજીધજીને ઉત્સવ ઉજવવા માટે કલાકારો પાસે લઈ જઈ રહ્યા છે. આર્ટિસ્ટો પ્રતિમાઓની આંખોમાં ભાવ, નટખટપણું, કપાળે તિલક, કાજળ અને ગળામાં હાર જેવી બારીક કારીગરી કરી તેને જીવંત સ્વરૂપ આપી રહ્યા છે. આ કલાકારો માટે આ માત્ર કામ નથી, પરંતુ 'લાલાની સેવા'નો ભાવ છે, જે ભક્તિ સાથે તેમની રોજીરોટીનું પણ સાધન બની રહી છે.