ગીર ઈકોઝોનમાં 501માંથી 387 ફાર્મહાઉસ-રિસોર્ટ ગેરકાયદેસર
ગીર ઈકોઝોનમાં 501માંથી 387 ફાર્મહાઉસ-રિસોર્ટ ગેરકાયદેસર
Published on: 13th July, 2026

ગીર અભયારણ્યના ઈકો-સેન્સિટિવ ઝોનમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અંગે હાઈકોર્ટમાં રજૂ થયેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 501 પ્રવાસન એકમોની તપાસમાં માત્ર 113 કાયદેસર મળ્યા છે, જ્યારે 387 એકમો વન વિભાગની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે. મોટાભાગના આવા ફાર્મહાઉસ રિસોર્ટ ભાજપના નેતાઓની ભાગીદારીમાં હોવાનો આરોપ છે. રેવન્યુ વિભાગ ખેતીની જમીનના દુરુપયોગ અને બાંધકામો રોકવામાં નિષ્ફળ ગયું છે, જેના કારણે સિંહો અને માનવ વસાહતો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.