ગુજરાતમાં 'રક્તપિત્ત નિર્મૂલન અભિયાન' આવતીકાલથી શરૂ: 2 કરોડથી વધુ લોકોનું થશે સ્ક્રીનિંગ
ગુજરાતમાં 'રક્તપિત્ત નિર્મૂલન અભિયાન' આવતીકાલથી શરૂ: 2 કરોડથી વધુ લોકોનું થશે સ્ક્રીનિંગ
Published on: 07th June, 2026

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 8 જૂનથી 30 જૂન દરમિયાન રક્તપિત્ત નિર્મૂલન માટે 'Leprosy Case Detection' કાર્યક્રમ યોજાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સમયસર સારવાર અને સહાય આપી તેમની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ દરમિયાન, આશા બહેનો અને સ્વયંસેવકોની ટીમો દરેક ઘરે જઈ પરિવારના તમામ સભ્યોની શારીરિક તપાસ કરશે અને રોગના લક્ષણો વિશે જાગૃતિ ફેલાવશે. 12 અગ્રતા ધરાવતા જિલ્લાઓમાં 2 કરોડથી વધુ નાગરિકોનું સ્ક્રીનિંગ થશે, જ્યારે અન્ય 22 જિલ્લાઓમાં 54 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ 8 થી 18 જૂન દરમિયાન કરાશે.