તંદુરસ્તી માટે સપ્લીમેન્ટ્સ જરૂરી જ છે એવું નથી, યોગ્ય માર્ગદર્શન મહત્વનું
તંદુરસ્તી માટે સપ્લીમેન્ટ્સ જરૂરી જ છે એવું નથી, યોગ્ય માર્ગદર્શન મહત્વનું
Published on: 01st September, 2026

ભારતીય સંસ્કૃતિમાં આહાર અને આરોગ્ય વચ્ચે સુમેળ હતો, જેથી રોજિંદા આહારમાંથી જ જરૂરી પોષક તત્વો મળી રહેતાં. આધુનિક જીવનશૈલી અને ખોરાકની ભેળસેળને કારણે આ સમતુલા ખોરવાઈ રહી છે. વૈશ્વિકરણના કારણે પરંપરાગત આહાર પ્રણાલી બદલાઈ છે, જેના પરિણામે પોષક તત્વોની ઊણપ સર્જાય છે. આ ઊણપને પહોંચી વળવા સપ્લીમેન્ટ્સનો સહારો લેવો પડે છે. ફાર્માસ્યૂટિકલ કંપનીઓ સપ્લીમેન્ટ્સના બજારને પ્રોત્સાહન આપી રહી છે. જ્યાં જરૂર હોય ત્યાં સપ્લીમેન્ટ્સ અનિવાર્ય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન વિના તે લેવા હિતાવહ નથી.