નડિયાદ: કાંસ રિનોવેશન માટે સરદાર પટેલની પ્રતિમા કામચલાઉ ઉતારી.
નડિયાદ: કાંસ રિનોવેશન માટે સરદાર પટેલની પ્રતિમા કામચલાઉ ઉતારી.
Published on: 13th May, 2026

નડિયાદ સ્ટેશન રોડ પર 1965માં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વરસાદી કાંસના રિનોવેશન માટે કામચલાઉ ધોરણે ઉતારવામાં આવી. આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત કાંસની કામગીરી કરવાની હોવાથી પ્રતિમાને સુરક્ષિત રાખવા આ નિર્ણય લેવાયો. પ્રતિમાના પાયા નીચેથી પસાર થતા કાંસની સફાઈ અને રિનોવેશન ચાલી રહ્યું છે.