નાગાલેન્ડમાં ભૂસ્ખલન: 8ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા
નાગાલેન્ડમાં ભૂસ્ખલન: 8ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા
Published on: 19th July, 2026

નાગાલેન્ડના મોન જિલ્લામાં ભયાનક ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ભારે વરસાદને લીધે 13 મકાનો કાટમાળ નીચે દટાયા છે અને અનેક લોકો લાપતા હોવાની આશંકા છે. SDRF, NDRF, આસામ રાઈફલ્સ, પોલીસ અને સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 4 મૃતદેહો મળ્યા છે અને 12 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ શોક વ્યક્ત કરી પીડિત પરિવારોને સહાયની જાહેરાત કરી છે.