હોર્ડિંગ્સ મામલે વડોદરા કોર્પોરેશન સામે વહાલા-દવલાની નીતિના આક્ષેપ
હોર્ડિંગ્સ મામલે વડોદરા કોર્પોરેશન સામે વહાલા-દવલાની નીતિના આક્ષેપ
Published on: 14th September, 2026

શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા પર શ્રીજી પર્વ નિમિત્તે સામાજિક કાર્યકર સહિતના લોકો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૂર કરાતા વિવાદ સર્જાયો છે. કાર્યકરનો આક્ષેપ છે કે નિયમોનું પાલન તમામ માટે સમાન હોવું જોઈએ. જ્યારે ગણપતિ પર્વના હોર્ડિંગ્સ દૂર કરાયા, ત્યારે ભાજપના નેતાઓના હોર્ડિંગ્સ યથાવત્ રખાયા છે, જે ભેદભાવ દર્શાવે છે. કોર્પોરેશન ભાજપના ઇશારે કામ કરતું હોવાનું જણાઈ રહ્યું છે. જો નિયમ મુજબ કાર્યવાહી કરવી હોય તો ભાજપના નેતાઓના હોર્ડિંગ્સ પણ ઉતારવા જોઈએ. આ મામલે આવતીકાલે મ્યુનિ. કમિશ્નરને લેખિત રજૂઆત કરાશે.