જગતમંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે વામન દ્વાદશી મહોત્સવ
જગતમંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે વામન દ્વાદશી મહોત્સવ
Published on: 29th May, 2026

પવિત્ર પુરૂષોતમ માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં સુપ્રસિધ્ધ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. અધિક માસમાં પણ વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ગુરૂવારે વામન દ્વાદશી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જગતમંદિરમાં બપોરે 12.00 વાગ્યે ઉત્સવ આરતી સાથે વામન જયંતિના વિશેષ દર્શન યોજાતા સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ઓનલાઈન માધ્યમો દ્વારા પણ લાખો ભક્તોએ લાભ લીધો.