ગોહિલવાડમાં રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને શ્રાવણી બળેવની ઉત્સાહભેર ઉજવણી
ગોહિલવાડમાં રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને શ્રાવણી બળેવની ઉત્સાહભેર ઉજવણી
Published on: 29th August, 2026

ભાવનગર સહિત ગોહિલવાડ પંથકમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક રક્ષાબંધન, સમુદ્રપૂજન નાળિયેરી પૂનમ અને શ્રાવણી બળેવના ત્રિવિધ પર્વની પરંપરાગત રીતે આસ્થા અને ઉમંગભેર ઉજવણી થઈ. બહેનોએ ભાઈઓના કાંડે રક્ષાસૂત્ર બાંધી લાંબુ આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરી. જુના બંદર અને દરિયાકાંઠાના સ્થળોએ શ્રદ્ધાળુઓ નાળિયેર વધેરવા ઉમટી પડ્યા હતા. માછીમારોએ દરિયાદેવ અને બોટનું પૂજન કરી નવા ધંધાકીય વર્ષનો પ્રારંભ કર્યો. અનેક સ્થળોએ જીવદયા પ્રવૃત્તિઓ પણ યોજાઈ.