ભરૂચનું સિદ્ધનાથ મહાદેવ: બ્રહ્મહત્યામાંથી મુક્તિ અને ચામડીના રોગોનો ઉપચાર
ભરૂચનું સિદ્ધનાથ મહાદેવ: બ્રહ્મહત્યામાંથી મુક્તિ અને ચામડીના રોગોનો ઉપચાર
Published on: 29th August, 2026

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલું સિદ્ધનાથ મહાદેવનું પૌરાણિક શિવાલય, જ્યાં શિવજીએ બ્રહ્મહત્યાનું પાપ ઉતાર્યું હતું. શિવપુરાણ અનુસાર, બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સમયે શિવજીએ બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપ્યું હતું. નર્મદા કિનારે આવેલા આ સ્થળે, હજારો દેવો અને સિદ્ધોની હાજરીમાં રુદ્રકુંડની સ્થાપના કરવામાં આવી. માન્યતા છે કે, રુદ્રકુંડમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે અને ચામડીના રોગો પણ મટે છે. મહંમદ ગઝનીએ આ મંદિર પર હુમલો કર્યો હતો, જે નિશાનીઓ આજે પણ શિવલિંગ અને નંદી પર જોઈ શકાય છે.