નેપાળમાં ભયાવહ પૂર: 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા
નેપાળમાં ભયાવહ પૂર: 150થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા
Published on: 29th August, 2026

નેપાળ-તિબેટ સરહદે થયેલી કુદરતી હોનારત અને વિનાશક પૂરને કારણે કૈલાસ માનસરોવર યાત્રા પર ગયેલા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે. કુલ 150થી વધુ લોકો સંપર્કવિહોણા હોવાની આશંકા છે, જેમાં ગુજરાતના 24 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી પરિવારોમાં ચિંતાનો માહોલ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. ગુમ થયેલાઓમાં અમેરિકા અને કેનેડાના NRI પણ સામેલ છે. પૂરના કારણે ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ થતાં સંપર્ક તૂટી ગયો છે.